Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

પારેવડી ચોકમાં સીટી બસની ઠોકરે અજાણ્‍યા ભિક્ષુક જેવા વૃધ્‍ધાનું મોત

રાજકોટ તા. ૧૯: પારેવડી ચોકમાં સાંજે સીટી બસ નં. જીજે૩બીટી-૦૨૩૧ની ઠોકરે ચડી જતાં આશરે ૮૦ વર્ષના વૃધ્‍ધાનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું.

બનાવની જાણ થતાં બી-ડિવીઝનના એએસઆઇ યુ. બી. પવાર અને અજયભાઇએ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. થોરાળા આંબેડકરનગરના ગોૈતમભાઇ દલપતભાઇ રાઠોડની ફરિયાદ પરથી બસ ચાલક સામે ગુનો નોંધાયો હતો. અકસ્‍માત સર્જી બસનો ચાલક ભાગી ગયો હતો.

મૃત્‍યુ પામનાર વૃધ્‍ધા ભિક્ષુક જેવા લાગે છે. તેણે જાંબલી રંગની મેલા જેવી સાડી અને જાંબલી બ્‍લાઉઝ પહેર્યા છે. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો બી-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૭૦૬૦૧૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

(12:58 pm IST)