Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

વાડીનાથ આશ્રમને શિવલીંગ અર્પણ

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉ. પ્રમુખ ડો. હેમાંગ વસાવડા તથા શહેર કોંગ્રેસ સમિતિ ફરીયાદ સેલના ચેરમેન આશિષસિંહ વાઢેર દ્વારા પવિત્ર શ્રાવણમાં સુરેન્દ્રનગર જીલ્લાના થાનના વગડીયા ગામ ખાતે વાડીનાથ આશ્રમે મહાદેવનું શિવલીંગ પ્રાણ પ્રતિષ્ઠા માટે અર્પણ કરાયું હતું. આશ્રમના મહંતશ્રી સોહમબાપુ અને પંકજબાપુના આશિર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે શહેર ફરીયાદ સેલના ચેરમેન આશિષસિંહ વાઢેર, ધર્મેશભાઇ ડોડીયા, ધીરૂભાઇ મેવાસીયા, સંજય રાજપરા તથા ગામજનો, આશ્રમના સેવકો, મોટી સંખ્યામાં શિવ ભગવાનને આવકારવા ઉપસ્થિત રહ્યા હતા.

(4:29 pm IST)