Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

કોરોના મહામારીમાંથી જલ્દી છુટકારો મળે, દાઉદી વ્હોરા સમાજના ભાઈ- બહેનોએ કરી દુઆ

દાઉદી વ્હોરા સમાજની આજે સોશ્યલ મીડિયાના માધ્યમથી શુભેચ્છા પાઠવાઈ

રાજકોટઃ વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો.સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) હાલ દારે સલામ (તાન્જાનીયા) બીરાજમાન છે. ઈલ ઉદ અદહાની નમાજ પઢાવેલ હતી. હાલ કોરોના મહામારીના સમયમાં સરકારી ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડીસ્ટન્સ રાખીને રાજકોટ, જામનગર, ભાવનગર, મહુવા, જસદણ, મોરબી, પાલીતાણા, અમરેલી, સાવરકુંડલા વિ. દરેક શહેરમાં- ગામમાં ઈલ ઉલ અદહાની નમાજ મસ્જીદ તથા ઘરોમાં દરેકે પઢેલ હતી અને દુઆ કરેલ કે જલ્દીથી આ કોરોના મહામારીમાંથી છુટકારો મળે.  એક બીજાને વોટ્સએપ / મેસેજ દ્વારા ઈદની મુબારક બાદીની આપલે  કરેલ હતી. તેમ શેખ યુસુફઅલી જોહર કાર્ડસ વાળાએ જણાવ્યું હતું.

(3:18 pm IST)