Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટમાં : વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

ભારતનગરના કાર્યક્રમ બાદ બપોરે ઓડિટોરિયમનું ઉદ્ધઘાટન સાંજે પૂજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમમાં અને હેમુગઢવી હોલમાં ઉપસ્થિત રહેશે :

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા. ૨૦ જુલાઈએ રોજ સવારે ૧૦:૧૫ કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચશે બાદમાં ૧૦:૩૦ કલાકે પેરેડાઇઝ હોલની સામે, સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

  ત્યારબાદ ૧૧:૪૫ કલાકે ભારતનગર ખાતે મહાનગરપાલિકા આયોજિત વિવિધ કામોના લોકાર્પણ તેમજ ખાતમુર્હુત કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ૧:૦૦ કલાકે વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજ આયોજિત ખાતે ઓડિટોરિયમના ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ૫ કલાકે શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટ આયોજિત કાર્યક્રમમાં અટલબિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત રહેશે

  . ત્યાર બાદ સાંજે ૭:00 કલાકે હેમુ ગઢવી હોલમાં અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ ફાઉન્ડેશન આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ૦૭:૩0 વાગ્યે અક્ષર મંદિરના સભાખંડમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડિરેક્ટરીના વિમોચન અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે અનુકૂળતાએ મુખ્યમંત્રી રાજકોટ એરપોર્ટ થી અમદાવાદ જવા રવાના થશે.

(8:36 pm IST)