Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રાજકોટમાં બપોર સુધીમાં ૫ કેસ

હાલમાં ૫૯૫ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૪૨,૬૧૭ થયોઃ આજ દિન સુધીમાં ૪૧,૭૯૮ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૦૮ ટકા થયો

રાજકોટ તા. ૧૯:  શહેરમાં બપોરનાં ૧૨ વાગ્યા સુધીમાં માત્ર ૫ કેસ નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૫ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૬૧૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૧૬૬૬ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૧૪ ટકા થયો  હતો. જયારે ૪૭ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૧,૭૫,૬૮૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૬૧૭  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૬૨ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૫૯૫  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:36 pm IST)