Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

શ્રેણીબધ્ધ કાર્યક્રમોના આયોજન અર્થે ભાજપની મેયર બંગલે બેઠક

યોગ દિવસ, બલિદાન દિવસ, કટોકટી દિવસની ઉજવણી કરાશે : વૃક્ષારોપણ, સફાઇ ઝુંબેશ સહીતના આયોજનો ઘડી કઢાયા

રાજકોટ : આગામી દિવસોમાં પ્રદેશ ભાજપની સૂચના અનુસાર વિવિધ શ્રેણીબઘ્ધ કાર્યક્રમોનું આયોજન થનાર હોય તે અંતર્ગત  શહેરના મેયર બંગલા ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં તેમજ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો.પ્રદીપ ડવ, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા, કાશ્મીરાબેન નથવાણીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. સ્વાગત પ્રવચન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કર્યુ હતું. આ તકે ધનસુખ ભંડેરી તેમજ કમલેશ મિરાણીએ  આગામી કાર્યક્રમો અંતર્ગત માહિતી આપતા જણાવેલ કે આગામી તા. ર૧ ના વિશ્વ યોગ દિવસ છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સામુહિક યોગની શરૂઆત ગુજરાતમાંથી કરી અને આજે વિશ્વભરના લોકો નરેન્દ્રભાઈ મોદીના આ સંકલ્પને સાર્થક કરી રહયા છે ત્યારે આંતરાષ્ટ્રીય યોગ દિવસનું શ્રેય પણ નરેન્દ્રભાઈ મોદીના ખાતામાં જાય છે ત્યારે કોરોના જેવી મહામારીની સામે લડવા માટે પણ યોગ ખરા અર્થમાં એક શસ્ત્ર બન્યુ છે ત્યારે આપણે સૌ તા.ર૧ના  સોશ્યલ ડીસ્ટસ્નીંગ સાથે શહેર ભાજપ આયોજીત કાર્યક્રમ તેમજ કોવિડ–૧૯ની ગાઈડલાઈન મુજબ ઘરે રહીને પણ યોગ કરી જીવનને તંદુરસ્ત બનાવીએ અને 'ઘરો રહો સ્વસ્થ રહો, સુરક્ષીત રહો' ના રાજયના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સંકલ્પને સાકાર કરીએ. તેમજ તા.ર૧ જૂન યોગ દિવસ  અંતગર્ત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલજીના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, તે અતંગર્ત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના ૧૮ વોર્ડમાં ૩૬ સ્થળો પર યોગા કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં શહેરના જાણીતા યોગગુરૂ ઉપસ્થિત રહી અને યોગા કરાવશે. જેની જવાબદારી વિધાનસભાવાઈઝ જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજુભાઈ બોરીચા અને કીરણબેન માકડીયા સંભાળી રહયા છે. તેમજ તા.ર૩ જૂને ડો. શ્યામાપ્રસાદજીના શહીદ દિવસ નિમિતે 'બલિદાન દિવસ' મનાવવામાં આવશે.

સવારે ૯ કલાકે શહેર ભાજપ દ્વારા રેસકોર્ષ ખાતે આવંેલ આર્ટગેલેરી ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાને પુષ્પાંજલીનો કાર્યકંમ યોજાશે. ત્યારબાદ સવારે ૧૦ કલાકે શહેરના ૧૮ વોર્ડના ૯૯૧ બુથ અને ૩૯૭ શકિત કેન્દ્રોમાં ડો. શ્યામાપ્રસાદ મુખરર્જીને પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાશે તેમજ  તેજ દિવસે એટલે કે ર૩ જુનના સવારે ૧૧ કલાકે ડો. શ્યામાપ્રસાદ મુખરજીના જીવનકવન અંગે વર્ચ્યુઅલ વકતવ્ય યોજાશે. તેમજ તા.રપ જૂન 'કટોકટી દિવસ' એટલે કે દેશના ઇતીહાસ કલંકિત દિવસ તરીકે ઓળખાયો છે ત્યારે આ કટોકટીના કાળા દિવસે શહેરના અનેક વરીષ્ઠ આગેવાનોએ મીસા હેઠળ જેલવાસ ભોગવ્યો છે ત્યારે આવા દિવંગત આત્માના પરીવારના ઘરે જઈ શહેર ભાજપના આગેવાનો દ્વારા તેમના પરીવારજનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે. તેમજ આ જ દિવસે સાંજે પઃ૩૦ કલાકે  શહેરના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર  દ્વારા વર્ચ્યૂઅલ વકતવ્ય યોજાશે. તેમજ તા.રપ જૂનથી લઈ તા.૬ જુલાઈ સુધી અનેકવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે. જેમાં શહેરના વિવિધ વિસ્તારો જેવા કે શાળા, કોલેજ, મંદીરો, સાર્વજનીક પ્લોટ, ઉદ્યોગોમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવશે. તેમજ શહેરના તમામ વોર્ડમાં સફાઈ ઝુંબેશના કાર્યક્રમો યોજવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ર૦૧૪માં વડાપંધાન પદે આરૂઢ થયા ત્યારથી દર મહીના ના છેલ્લા રવિવારે રેડીયો અને ટીવીના માઘ્યમથી 'મન કી બાત'નો કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે ંતા.ર૭ ના રવીવારે આ 'મન કી બાત'નો કાર્યક્રમ શહેર ભાજપ થી લઈ બુથ સમિતિ અને પેજપ્રમુખો સાંભળે તે માટે અનુરોધ કરાયો હતો. તેમજ કોવીડ–૧૯ની મહામારી સામે અને કોરોનાના રક્ષણ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રસીકરણ જાગૃતી અભિયાનને વેગવંતુ બનાવવા માટે ભાજપના કાર્યકર્તાઓને અનુરોધ કર્યો છે ત્યારે ધનસુખ ભંડેરી એ  ઉપસ્થિત શહેર ભાજપની અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો કે વિજયભાઈ રૂપાણીએ આપેલ મંત્ર કે ભમારુ બુથ, કોરોના મુકત, મારૂ બુથ રસીકરણ યુકત માટે શહેર ભાજપથી લઈ પેજપ્રમુખ સુધીના કાર્યકર્તાઓને આ અભિયાન કાર્યક્રમમાં જોડવામાં આવશે. જેમા શહેરના એક લાખથી વધુ પેજપ્રમુખોને આ કામગીરીમાં જોડવામાં આવશે તેમજ આગામી દિવસોમાં કોરોના ની લહેર ન આવે અને લોકોમાં જાગૃતી લાવવા માટે રાષ્ટ્રીયકક્ષાએ થી સ્વાસ્થ્ય સ્વયંસેવકોની ટીમ બનાવવાનુ નકકી કરવામા આવેલ છે તે અંતર્ગત રાજકોટ મહાનગરમાં કીશોરભાઈ રાઠોડ, અતુલભાઈ પંડયા અને જશુમતીબેન વસાણીને જવાબદારી સોંપવામાં આવેલ છે. તેમજ સંગઠન સંરચના બાદ સૌરાષ્ટ્રભરના પ્રભારી વિનોદભાઈ ચાવડા અને શહેરના પ્રભારી ઝવેરીભાઈ ઠકરારના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરની વર્ચ્યૂઅલ કારોબારી બેઠક અને ત્યારબાદ મંડલ કક્ષાએ કારોબારી બેઠક યોજવામાં આવશે અને સંગઠન સંરચના અંતર્ગત વોર્ડથી લઈ બુથ સુધીના માટે વોર્ડ સંકલન સમિતિથી લઈ શહેર સંકલન સમિતિ સુધી રચના હાથ ધરવામાં આવશે.

આ બેઠકનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારીએ, વ્યવસ્થા કિશોરભાઈ રાઠોડે તેમજ  સાંધિક ગીત અતુલ પંડિતે તેમજ અંતમાં આભારવિધિ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુરે કરેલ હતી. તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમની જવાબદારી ડો. પ્રદિપ ડવ તથા પુષ્કર પટેલને સોંપવામાં આવેલ. આ બેઠકમાં પ્રદેશના હોદેદારો, શહેર ભાજપના હોદેદારો, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, પ્રભારીઓ, મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ તેમજ કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સદસ્યો ઉપસ્થિત રહયા હતા. આ બેઠકને સફળ બનાવવા શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી સહીતના એ જહેમત ઉઠાવી હતી.

(3:25 pm IST)