Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

લક્ષ્મીનગર વિસ્તારના બહેનોને નિઃશુલ્ક જાત્રા

શ્રી રામેશ્વર મહાદેવ ખોડીયાર મંદિર ટ્રસ્ટના માર્ગદર્શન નીચે લક્ષ્મીનગર વિસ્તારના ઉમર લાયક બહેનોને વિજયભાઈ દેસાઈ (ખોખળદળ)ના સહયોગથી ૧૨ દિવસ સુધી બહુચરાજી, ઉંઝા, પુષ્કર, દિલ્હી, ગોકુલ મથુરા, ઋષિકેશ, હરીદ્વાર વગેરે ધાર્મિક સ્થળોએ ૧૦૦ બહેનોને નિઃશુલ્ક જાત્રા કરાવેલ. જાત્રા પરત રાજકોટ આવતા ખોખળદળના વિજયભાઈના ઘરે તમામ બહેનોના સામૈયા કરેલ. રામેશ્વર મહાદેવ ખોડીયાર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ શ્રી દેસાઈનું સ્મૃતિચિન્હ અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી સન્માન કરેલ. ગમારા (બડા બજરંગ મિત્ર મંડળ)નો આભાર વ્યકત કરેલ. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ પ્રમુખ નિલેશભાઈ ભટ્ટ (મો.૯૮૭૯૫ ૩૪૫૮૧), ઉપપ્રમુખ હસમુખસિંહ ગોહીલ (મો.૯૯૦૯૨ ૮૦૮૬૯), પંકજભાઈ તુવર, મીઠાભાઈ શિયાળીયા દ્વારા ઉપસ્થિત રહેલ.

(3:47 pm IST)