Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

પ્રજાએ તમારી પોલ ખોલી નાખીઃ જનરલ બોર્ડમાં ઉદય કાનગડે વિપક્ષને ભીડવ્યો

રાજકોટઃ આજે યોજાયેલ કોર્પોરેશનના જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા સહીતના કોંગી કોર્પોરેટરોએ તંત્રની પોલ ખોલતા ફોટોગ્રાફ રજુ કરતા તેના જવાબમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે વિપક્ષી નેતાને સ્પષ્ટ જણોવલ કે પ્રજાએ લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને તેનું સ્થાન બતાવીને અને પોલ ખોલી નાંખી છે. ત્યારે હવે આ પ્રકારના ખોટી નાટકબાજી  કરવાને બદલે હકારાત્મક અભિગમ દર્શાવી પ્રજાના પ્રશ્નો માટે લડો નહિતર વિપક્ષમાં પણ સ્થાન માટે કોંગ્રેસને ફાંફા પડશે તેવો આક્ષેપો શ્રી કાનગડે જનરલ બોર્ડમાં કર્યા હતા.

(3:34 pm IST)