Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

વિશ્વ યોગ દિવસ કાર્યક્રમ સ્થળ મુલાકાત લેતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓ : તડામાર તૈયારી

રાજકોટ, તા. ૧ ૯ : મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર તથા આરોગ્ય સમિતિ ચેરમન જયમીનભાઈ ઠાકર એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા પણ જુદા જુદા પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવેલ. આ ઉપરાંત શહેરની શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ વિગેરે દ્વારા પણ જુદા જુદા સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાશે.

યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પદાધિકારીઓએ તમામ ગ્રાઉન્ડની સ્થળ મુલાકાત લઇ, સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપેલ. આ મુલાકાતમાં મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર તથા આરોગ્ય સમિતિ ચેરમન જયમીનભાઈ ઠાકર, ડે. કમિશનર સી. કે. નંદાણી, આસી. કમિશનર કગથરા, ઇચા. સહાયક કમિશનર ધડુક, વાસવંતીબેન પ્રજાપતિ, આસી. મેનેજર ચોલેરા, ભોણીયા, ગામેતી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. તે વખતની તસ્વીર.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૧ જુનના રોજ યોજાનાર યોગ કાર્યક્રમમાં જોડાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ શહેરીજનોને અપીલ કરેલ છે.

(3:10 pm IST)