Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ઇન્કમટેક્ષ અધિકારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે દેશભરમાં ધરણાં-સુત્રોચ્ચાર

રાજકોટ : આયકર વિભાગના અધિકારીઓના પડતર પ્રશ્નો અને માંગણીનો ઉકેલ ન આવતા આજથી દેશવ્યાપી દેખાવો શરૂ કરવામાં આવ્યાં છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આવકવેરાના અધિકારી-કર્મચારીઓ આખો દિવસ ધરણા યોજયા હતા. રાજકોટ ખાતે યોજાયેલ આયકર કર્મચારીઓના ધરણામાં ગેજેટેડ ઓફીસર એસોશીએશન અને ઇન્કમટેકસ એમ્પ્લોઇઝ ફેડરેશન જોડાયા છે. આવકવેરા વિભાગના ઇન્સ્પેકટર અને એકઝીકયુટીવ કેડર માટે નિયમો નક્કી કરવા, આઇટીઓ કેડર માટેના અવરોધો દુર કરવા ખાલી પડેલી જગ્યાઓ ભરવા સહિતની માંગણીઓ ઉચ્ચારવામાં આવી હતી. પ્રસ્તુત તસ્વીરમાં ધરણામાં જોડાયેલ કે.આર. જાડેજા, આર.કે. સીંધલ, દીપકભાઇ ભટ્ટ, ભરતભાઇ રાજયગુરૂ, શ્રીકાંતભાઇ, સંજયભાઇ ખુશલાણી, કિર્તિભાઇ મહેતા, શ્રી ગુપ્તા, અરવિંદભાઇ વાઘેલા, સમર્થભાઇ જોશી, પંકજભાઇ વ્યાસ, મંગલસિંહ સહિતના જોડાયા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:00 pm IST)