Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

માવતરે વ્યવહાર તોડી નાંખતા રૈયાધારના ગીતાબેન દેવીપૂજકનો ઝેર પી આપઘાત

રાજકોટ તા. ૧૯: રૈયાધાર પાણીના ટાંકા પાસે રહેતી ગીતાબેન ભરતભાઇ રાફુચા  (ઉ.૪૦) નામની દેવીપૂજક મહિલાએ એસિડ પી આપઘાત કરી લેતાં પાંચ સંતાન મા વિહોણા થઇ ગયા છે.

ગીતાબેને રવિવારે રાત્રે સાડા નવેક વાગ્યે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન આજે વહેલી સવારે મોત નિપજ્યું હતું. ગીતાબેનન ગઇકાલે સારવારમાં હતાં ત્યારે જણાવ્યું હતું કે તેને સંતાનમાં પાંચ દિકરા છે. પતિ ભરત છુટક મજૂરી કરે છે. તેણીના માવતર રાધનપુર રહે છે. માવતરે તેની સાથે વ્યવહાર તોડી નાંખ્યો હોઇ અને બોલાવતાં ન હોઇ જેથી માઠુ લાગી જતાં આ પગલું ભર્યુ હતું. તેણીનું મોત નિપજતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

(11:41 am IST)