Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

અભાવિપ દ્વારા બ્લડ-પ્લાઝમા ડોનેશન કેમ્પ

 દેશ કોરોના સામે લડી રહ્યો છે ત્યારે હાલ રકત અને પ્લાઝમાની અછતને પહોંચી વળવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સુર્યમુખીદાદા મંદિર, દ્વારકાધીશ સોસાયટી ખાતે તાજેતરમાં બ્લડ અને પ્લાઝમા ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. સાથો સાથ  એબીવીપીના ડોકટરો દ્વારા દર્દીઓનું ફ્રી મેડીકલ ચેકઅપ કરી અપાયુ હતુ. જેમાં ડો. અજય જીંજાળા, ડો. ઇશાફ અલી, ડો. પૃથ્વીસિંહ વાળાએ સેવા આપી હતી. પરીષદના ૧૪ કાર્યકરો સેવામાં ખડે પગે રહ્યા હતા. આવી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવા માંગતા વિદ્યાર્થીઓએ મો.૭૩૮૩૨ ૩૧૧૪૬ ઉપર સંપર્ક કરવા મયંક ચોટલીયાની યાદીમાં જણાવાયુ છે.

(3:09 pm IST)