Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સિવિલ કોવિડમાં બે દર્દીના મોત બાદ સગા-સંબંધી મળતાં નથીઃ ફોન નંબર ખોટા

તસ્વીરમાં દેખાતા મૃતકોના વાલી હોય તો કોવિડ સેન્ટરમાં સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૮:સિવિલ હોસ્પિટલ કોરોના વિભાગમાં દાખલ કરાયેલા બે દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. આ બંનેના વાલીવારસ મળતાં નથી. બે પૈકીના એક દર્દી અજાણ્યા આશરે ૫૫ વર્ષના પુરૂષ છે. તેમને દાખલ કરાયા ત્યારે એડ્રેસ રાજારામ સોસાયટી-૧, સંત કબીર રોડનું લખાવાયું હતું. આ એડ્રેસ પર કોઇ સગા નથી અને જે ફોન નંબર લખાવાયા હતાં એ પણ ખોટા છે. આ દર્દી પ્રથમ તસ્વીરમાં જાઇ શકાય છે.

જ્યારે બીજા એક પુરૂષને દાખલ કરાયા ત્યારે તેમનું નામ મોતિરામ શિવરામભાઇ વર્મા ઉમર ૮૮ અને એડ્રેસ ઉમાકાંત ઉદ્યોગનગરનું લખાવાયું હતું. પરંતુ આ દર્દીના સગા મળતાં નથી અને ફોન નંબર પણ ખોટા છે. દર્દી બીજી તસ્વીરમાં જાઇ શકાય છે. બંને મૃતકના કોઇ સગા હોય તો તુરત જ સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં સંપર્ક કરવા આરએમઓ ડો. એમ. સી. ચાવડાએ જણાવ્યું છે. (૧૪.૭)

(1:05 pm IST)