Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

જામનગરની સગીરાને રાજકોટ રૈયાધાર પાસેથી જામનગરનો પ્રિતેશ ઉર્ફ ભુરો ભગાડી ગયો

રાજકોટઃ હાલ રૈયાધાર સ્લમ કવાર્ટર પાસે ભઠ્ઠા વિસ્તારમાં રહી મજૂરી કરતાં મુળ જામનગર હાપા સ્ટેશન બહાર જવાહરનગરના વતની ભરતભાઇ નાગજીભાઇ ચાવડા (ઉ.૩૮)ની સગીર વયની દિકરીને ભઠ્ઠા પાસેથી મુળ જામનગર ગુલાબનગરનો પ્રિતેશ ઉર્ફ ભુરો સથવારા લલચાવી ફોસલાવી ભગાડી જતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતાં પી.આઇ. એ.એલ. આચાર્ય, જે. પી. મેવાડા, ગિરીરાજસિંહ જાડેજાએ આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:19 am IST)