Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

પાટીદાર ચોકથી રૈયા ગામના રસ્તા પર ત્રણ દૂકાનના શટર ઉંચકાવી ચોરી

રાજકોટઃ પાટીદાર ચોકથી રૈયા ગામ તરફ જતાં રસ્તા પર ટોપલેન્ડ રેસિડેન્સી પાસે ફલોરલ-૨ કોમ્પલેક્ષમાં આવેલી ત્રણ દૂકાનોના શટર ઉંચકાવી તસ્કરો રોકડા, ચોકલેટ, પાવડર, તેલ, વિમલ પાન મસાલાના ખાલી થેલા મળી રૂ. ૩૫૨૦ની ચોરી કરી જતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ પી.એ. ગોહેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે સોમનાથ-૩માં રહેતાં ડેનિશ અરવિંદભાઇ દેલવાડીયા (પટેલ) (ઉ.૩૩)એ ફરિયાદ નોંધાવી છે. તસ્કરો તેની દૂકાનરોકડા રૂ. ૧૦૦૦ તથા ૫૦૦નું પરચુરણ, બાજુમાં આવેલી યોગેશભાઇ કાલાવડીયાની દૂકાનમાંથી ચોકલેટ, પાવડર, તેલ મળી ૨૦૦૦ની મત્તા તથા કાનજીભાઇ લાલજીભાઇ કાનાણીની દૂકાનમાંથી રૂ. ૨૦ની કિંમતના વિમલ પાન મસાલાના બે ખાલી થેલા ચોરી ગયાનું ફરિયાદમાં જણાવાયું છે. સદ્દનસિબે મત્તા ઓછી ચોરાઇ છે પણ એક સાથે ત્રણ દૂકાનો તૂટી હોઇ વેપારીઓમાં દેકારો મચી ગયો હતો.

(11:18 am IST)