Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

રામકૃષ્ણ આશ્રમે વિવેકાનંદ મેડીકલ સેન્ટર અને ડેન્ટલ વિભાગનો પૂ.ગૌતમાનંદજી મહારાજના હસ્તે શુભારંભ

કાલે સંધ્યા આરતી બાદ જાહેરસભા : સોમવારે મંત્ર દીક્ષા

રાજકોટ : શ્રી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂ.ગૌતમાનંદજજી મહારાજ હાલ ત્રણ દિવસ રાજકોટ પધાર્યા છે. તેઓના હસ્તે આજે સવારે વિવેકાનંદ મેડીકલ સેન્ટર અને ડેન્ટલ વિભાગનું ઉદ્દઘાટન થયુ હતું. પૂ.ગૌતમાનંદજી મહારાજે રામકૃષ્ણ આશ્રમમાં ચાલી રહેલ વિવિધ સેવાકીય વિભાગોની પણ મુલાકાત લીધી હતી. તેઓના હસ્તે આવતીકાલે સાંજે સંધ્યા આરતી બાદ વિવેક હોલ ખાતે જાહેરસભાને સંબોધન કરશે. તા.૨૧ના સોમવારે સવારે નીજ મંદિરમાં મંત્રદીક્ષા કાર્યક્રમ યોજાયા છે મંત્રદીક્ષાના સમયે રવિ અને સોમ સવારે ૬ થી ૧૨ મંદિર બંધ રહેશે. જેની ભાવિકોએ નોંધ લેવી. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૩૭.૧૩)

(4:11 pm IST)