Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

પુનિત સોસાયટીના રામેશ્વર મંદિરે પુરૂષોતમ માસ નિમિતે મંગળવારથી ભાગવત કથા

રાજકોટ તા. ૧૯ : કોઠારીયા રોડ પરની પુનિત સોસાયટીમાં આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે પુરૂષોતમ માસ નિમિતે તા. ૨૨ થી ૨૮ શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવેલ કે શ્રીરામેશ્વર મંદિર ટ્રસ્ટી મંડળ, ગોપી મંડળ, પુનિત યુવા ગ્રુપ અને મંદિરના પુજારી મહેશભાઇ મણીશંકર ત્રિવેદી તથા લતાવાસીઓના સહયોગથી યોજાયેલ આ કથાના વ્યાસાસને શાસ્ત્રી ઘનશ્યામભાઇ મહેશભાઇ ત્રિવેદી બિરાજી દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩.૩૦ થી ૬.૩૦  કથામૃતનું રસપાન કરાવશે.

તા. ૨૨ ના બપોરે ૩.૩૦ વાગ્યે પોથીયાત્રા અને મંગલ પ્રવચન સાથે પ્રારંભ થશે. કથા દરમિયાન વિવિધ પ્રસંગોને આવરી લેવાશે. જેમાં તા. ૨૬ ના બપોરે રામ પ્રાગટયોત્સવ અને સાંજે નંદ મહોત્સવ ઉજવાશે. તા. ૨૮ ના રૂક્ષ્મણી વિવાહ સાથે કથાને વિરામ અપાશે.

ધર્મપ્રેમીજનોએ વધુને વધુ સંખ્યામાં કથા શ્રવણ માટે પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા હિરેનભાઇ ગોસ્વામી, ગોપાલભાઇ દવે, મુકેશભાઇ, દિલીપભાઇ ત્રિવેદી, જીતેશભાઇ રાજયગુરૂ, રૂદ્રભાઇ, દેવીશ, ઇશ્વરભાઇ પટેલ નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી) (૧૬.૫)

(4:06 pm IST)