Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

મુંબઈમાં સર્ચ કમિટિની બેઠકમાં કુલપતિ માટે ત્રણ નામ સુચવાયા

સાંજે અથવા સોમવારે જાહેરાતઃ નિર્ણય ઉપર મીટ

રાજકોટ, તા. ૧૯ :. ભારે અનિશ્ચિતતા વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૭માં કુલપતિની પસંદગી કરતી સર્ચ કમિટિએ ચુપચાપ મુંબઈ ખાતે આખરી બેઠક ગઈકાલે મળી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૭મા વાઈસ ચાન્સેલરની પસંદગી સમિતિના ચેરમેન ડો. યોગેશસિંઘ, ડો. બી.એ. પ્રજાપતિ, ડો. હિમાંશુ પંડયાની બેઠક મુંબઈ ખાતે મળી હતી.

કુલપતિ પસંદગીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભારે અનિશ્ચિત રહેતા સ્થાનિક ઉમેદવારોની પસંદગીની તક ઘટી હતી. મુંબઈ ખાતે મળેલી સર્ચ કમિટિની બેઠકમાં ત્રણ નામ પસંદ કરી રાજ્ય સરકારને મોકલ્યા હતા.

મુંબઈ મળેલી સર્ચ કમિટિએ ત્રણ નામ ફાઈનલ કરતા રાજ્ય સરકાર આજે અથવા સોમવારે સત્તાવાર જાહેરાત કરશે.(૨-૧૧)

(4:02 pm IST)