Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

વોર્ડ નં.૧૬માં કોંગી કોર્પોરેટરોના હસ્તે પેવરકામનું ખાતમુર્હુત

રાજકોટઃ વોર્ડ નં.૧૬ના કોંગ્રેસના જાગૃત કોર્પોરેટરો વલ્લભભાઈ પરસાણા, રશીલાબેન સુરેશભાઈ ગેરૈયા, હારૂનભાઈ ડાકોરા, સ્નેહાબેન બીપીનભાઈ દવેની સફળ રજુઆતને ધ્યાને લઈ વોર્ડનં.૧૬માં અરવિંદભાઈ મણીયાર હુડકો કવાટર મણીનગર- આશાપુરાનગરમાં પેવર ડામરકામ મંજુર કરાતા. આ પેવરકામનું ખાતમુહુર્ત વોર્ડ કોંગ્રેસના ભુતપૂર્વ કોર્પોરેટર રંજનબેન ખખ્ખરના હસ્તે કરવામા આવેલ. આ તકે કોર્પોરેટર રસીલાબેન ગેરૈયા, હારૂનભાઈ ડાકોરા, વલ્લભભાઈ પરસાણા, સ્નેહાબેન દવે, બીપીનભાઈ દવે, સુરેશભાઈ ગેરૈયા, ભગવાનજીભાઇ સોજીત્રા, વોર્ડ પ્રમુખ નારણભાઈ હિરપરા, વોર્ડ મંત્રી અનુભાઈ ઓડીયા, હાજીભાઈ ઓડીયા, હિરાબેન કડીવાર, મનુભાઈ સોનારા, જાગૃતીબેન સોની, ઈબ્રાહીમભાઈ જુણેજા, ઉકાભાઈ ડાંગર, ચેતનભાઈ મંડ લતાવાસીઓ ઉપસ્થિત રહેલ.(૩૦.૫)

(4:01 pm IST)