Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

બ્રહ્મ ડોકટર્સ એસો. દ્વારા કાલે 'ગ્રીસ્મ ત્રયી' સમારોહ

રાજકોટ તા. ૧૯ : બ્રહ્મ ડોકટર્સ એસોસીએશન દ્વારા કાલે તા. ૨૦ ના 'ગ્રીષ્મ ત્રયી' શીર્ષકતળે વિશેષ સમારોહનું આયોજન કરાયુ છે.

 

આર્ષ વિદ્યામંદિર, મુંજકા ખાતે ત્રણ સત્રમાં આયોજીત આ સમારોહનો પ્રારંભ કાલે સવારે ૮ વાગ્યે યજ્ઞથી કરાશે. જેમાં ૩૧ ડોકટર દંપતિ રાષ્ટ્ર કલ્યાણ અર્થે આહુતી આપશે. આ પ્રથમ સત્રમાં સવારે યજ્ઞ બાદ ૯.૩૦ થી ૧૦.૩૦ અલ્પાહાર અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે.

બીજા સત્રમાં સવારે ૧૦.૨૦ થી ૧૦.૪૦ નવા પદાધિકારીઓ પ્રમુખ ડો. બકુલ વ્યાસ અને મહામંત્રી ડો. તત્સ જોષીની શપથવિધી  અને બાદમાં ૧૦.૪૦ થી ૧૧.૨૦ 'સંગચ્છવ સંવદધ્વમ'  વિષય પર પૂ. પરમાત્માનંદ સરસ્વતીજીનું પ્રવચન તેમજ સવારે ૧૧.૨૦ થી ૧૨.૨૦ દરમિયાન બ્રહ્મ ગૌરવ અને ડોકટર્સ માટે સરકારી યોજનાઓ વિષે ડો. જી. ટી. પંડયા ઉદ્દબોધન કરશે.

જયારે ત્રીજા સત્રમાં બપોરે ૧૨.૨૦ થી ૧ વાગ્યા સુધી બ્રહ્મ ડોકટર્સ એસો.ની ગઇકાલ અને આવતીકાલ વિષય પર ડો. પ્રકાશ મોઢા, ડો. જયપ્રકાશ ભટ્ટ, ડો. તત્સ જોષી, ડો.પ્રશાંત ઠાકર છણાવટ કરશે. બાદમાં મહાપ્રસાદ લઇ કાર્યક્રમોને વિરામ અપાશે.

સમારોહમાં સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જનાર્દનભાઇ આચાર્ય, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, પ્રાંત અીધકારી પ્રજ્ઞેશભાઇ જાની, રૂડાના અધિકારી જી. બી. પંડયા, ચેરીટી કમિશ્નર ચિરાગભાઇ જોષી, એસીપી હર્ષદ મહેતા, ભુદેવ સેવા સમિતિના તેજસભાઇ ત્રિવેદી, બ્રાહ્મણ સમાજના દક્ષેશભાઇ પંડયા, બ્રહ્મ એડવોકેટ એસોસીએશનના જયેશભાઇ જાની, સંજયભાઇ વ્યાસ, બ્રહ્મ પેરામેડીકોઝના હીરેનભાઇ થાનકી, જયેશભાઇ વ્યાસ, યુવા જર્નાલીસ્ટ પરખ ભટ્ટ ઉપસ્થિત રહેશે.

સમગ્ર સમારોહને સફળ બનાવવા ડો. એન. ડી. શીલુ, ડો. એમ. કે. કોરવાડીયા (પ્રમુખ), ડો. તેજસ ત્રિવેદી, ડો. હિતેષ જાની, ડો. જતીન ભટ્ટ, ડો. હેમાંગ વસાવડા, ડો. દેવેન્દ્ર ડેકીવાડીયા, ડો. યશ પંડયા, ડો. પ્રણવ ભટ્ટ, ડો. જયંત મહેતા, ડો. વિશાલ મોઢા, ડો. કાર્તીક મોઢા, ડો. મંગલ દવે, ડો. અતુલ પંડયા, ડો.ભાષ્કરભાઇ ભટ્ટ, ડો. યજ્ઞેશ ત્રિવેદી, ડો. માલા પુંજાણી,  ડો. શિલ્પા ઠાકર, ડો. અવની વ્યાસ, ડો. જીગીશા બધકા, ડો. પ્રશાંત ઠાકર, ડો. મનીષ ઠાકર, ડો. ગુંજન જોષી, ડો. વત્સરાજ, ડો. શશીકાંત મોઢા, ડો. એન. એસ. પાઠક, ડો. બંકીમ થાનકી, ડો. પુનીત ત્રિવેદી, ડો. દર્શન ભટ્ટી, ડો. અરૂણ ત્રિવેદી વગેરે જહેમત ઉઠાવી રહ્યાછે. સાથેમાં અશોકભાઇ ત્રિવેદી, પ્રિયંક રાવલ, વિજય પુરાોહીત, સુરેશભાઇ જોષી સહીતના કાર્યકર્તાઓ પણ જહેમત ઉઠાવી રહ્યા છે.

તેમ બ્રહ્મ ડોકટર્સ એસો. (મો.૯૮૨૪૨ ૨૬૨૪૦) ના ડો. એમ. કે. કોરવાડીયા, ડો. એન. ડી. શીલુ, ડો. બકુલ વ્યાસ, ડો. જયેશ રાજયગુરૂ, ડો. પ્રકાશ મોઢા, ડો. તત્સ જોષીની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૭)

(2:45 pm IST)