Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

મારામારીની ટેવવાળા આશાપુરાનગરના મેરામ જળુને પાસા તળે જેલમાં ધકેલાયો

ભકિતનગર પોલીસે વોરન્ટની બજવણી કરી વડોદરા જેલહવાલે કર્યો

રાજકોટ તા. ૧૯: પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે વધુ એક શખ્સને પાસા તળે જેલમાં ધકેલી દીધો છે.

કોઠારીયા રોડ પર આશાપુરાનગર-૧૭માં જય મુરલીધર નામના મકાનમાં રહેતો મેરામ મેણંદભાઇ જળુ (ઉ.૨૭) નામનો શખ્સ ગયા વર્ષે સોરઠીયા વાડી સર્કલ પાસે ટુડે આઇસ્ક્રીમ પાર્લર ખાતે હુમલો કરવાના ગુનામાં સંડોવાયો હતો. તેમજ થોડા દિવસ પહેલા આશાપુરા નગરમાં જીવલેણ હુમલો કર્યો હતો. આ શખ્સને પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજૂર કરી શ્રી ગહલોૈતે તેને વડોદરા જેલહવાલે કરવા હુકમ કરતાં ભકિતનગર પી. આઇ. વી. કે. ગઢવી, પીેએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ ઇન્દુભા રાણા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, કોન્સ. ભાવીનભાઇ ગઢવી, ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા, સલિમભાઇ મકરાણી, પ્રવિણભાઇ જામંગ, રાણાભાઇ કુગશીયા, દિગપાલસિંહ જાડેજા સહિતે વોરન્ટની બજવણી કરી હતી. (૧૪.૮)

(2:43 pm IST)