Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

આદિનાથ પાર્કમાં નિવૃત ફોરેસ્ટ કર્મચારીનું બેભાન હાલતમાં મોત

૬૨ વર્ષના મહેશભાઇ જોષીએ સિવિલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૯: જામનગર રોડ પર નાગેશ્વર મંદિર નજીક આદિનાથ-૨માં રહેતાં મહેશભાઇ ઉમિયાશંકર જોષી (ઉ.૬૨) નામના નિવૃત ફોરેસ્ટ કર્મચારી સાંજે ઘરે બેભાન થઇ જતાં મોત નિપજ્યું છે. મહેશભાઇ જોષી સાંજે ચારેક વાગ્યે ઘરે હતાં ત્યારે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી અને બેભાન થઇ ગયા હતાં. સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર અગાઉ પડધરી ખાતે ફોરેસ્ટ ગાર્ડ હતાં. હાલ નિવૃત હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પોતે બે બહેનના એકના એક ભાઇ હતાં. (૧૪.૫)

(2:43 pm IST)