Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ગાંધીગ્રામ એસકે ચોકના વેપારીઓ આજથી ૨૬મી સુધી બપોરના બે પછી લોકડાઉન પાળશે

વેપારીઓનો આ નિર્ણય બદલ આભાર વ્યકત કરતાં ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા

રાજકોટઃ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોઇ તે જોતાં ગાંધીગ્રામ એસકે ચોક વેપારી મંડળના સભ્યોએ આજ તા. ૧૯થી ૨૬મી સુધી બપોર બાદથી એટલે કે બે વાગ્યાથી સ્વૈચ્છીક લોકડાઉન પાળવાનો નિર્ણય કર્યો છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા અને ટીમ કોરોના સંક્રમણ અટકે તે માટે સતત કાર્યશીલ છે. દરમિયાન ગાંધીગ્રામ વિસ્તારના એસકે ચોકમાં કે જ્યાં સવારથી સાંજ સુધી સતત વધુ ભીડ જામતી હોઇ અહિ અઠવાડીયા સુધી બપોરના બેથી દૂકાનો બંધ રાખવામાં આવશે તેવો નિર્ણય વેપારી મંડળે પીઆઇ કે. એ. વાળા સાથેની બેઠકમાં લઇ સંક્રમણ અટકાવવાના કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું છે.

(3:11 pm IST)