Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ખોરાણામાં કલેશને કારણે બળદેવ રામાવતનો આપઘાત

ઝેર પી લેતાં રાજકોટ ખસેડાયો પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૧૯: કુવાડવા તાબેના ખોરાણા ગામે રહેતાં બળદેવભાઇ દિનેશભાઇ રામાવત (ઉ.વ.૩૬) નામના યુવાને સાંજે સાતેક વાગ્યે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર બળદેવભાઇ માતા પિતાનો એક જ પુત્ર અને એક બહેનથી મોટો હતો. તે ટ્રાવેલીંગ અને ડ્રાઇવીંગનું કામ કરતો હતો. સંતાનમાં ત્રણ પુત્ર છે. ગૃહકલેશને કારણ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.

(11:02 am IST)