Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સદગુરૂ આશ્રમે રામલલ્લાના જન્મના વધામણાઃ પૂજન-નવલાખ મંત્રજાપ

રાજકોટ : પ.પુ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ (શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ) રાજકોટ દ્વારા શ્રી રામનવમી મહોત્સવ રંગે ચંગે, આનંદ ઉલ્લાસ સાથે ભગવાનશ્રી રામલલ્લાના વધામણા કરવામાં આવ્યા હતા.

પ્રથમ નોરતે શરૂ થયેલ પાઠની શ્રી રામચરિત માનસજીની રામનવમીના રોજ પુર્ણાહુતી કરવામાં આવી હતી.શ્રી રામ રાજયાભિષેક પ્રસંગનું પૂજન તથા આરતી સંસ્થા ટ્રસ્ટી પ્રવિણભાઇ વસાણી તથા તેમના ધર્મપત્ની પ્રફુલાબેન વસાણી દ્વારા કરવામાં આવેલ તથા પાઠની પુર્ણાહુતીની આરતી નિયતીબેન નથવાણી દ્વારા કરવામાં આવેલ હતી.

શ્રી રામજન્મોત્સવનું પૂજન જીતુભાઇ ચતવાણી પરિવાર, હેનીશભાઇ ચતવાણી તથા તેમના ધર્મપત્ની મીરાલીબેન ચતવાણી દ્વારા પૂજન સાથે ભગવાન રામલલ્લાના જન્મોત્સવના વધામણા કરવામાં આવેલ હતા.

શ્રી રામનવમી મહોત્સવ નિમિતે ભગવાનશ્રી રામના નવ લાખ મંત્રજાપ ૧૦૮ સાધુ તથા સંત ભગવાન દ્વારા કરવામાં આવેલ. સદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞમાં સ્વ. હરેશભાઇ કારેલીયા સહભાગી થયેલ હતા. આ કેમ્પમાં વરીષ્ઠ પત્રકાર કાંતીભાઇ કતીરા તથા નવીનભાઇ ઠકકર ખાસ ઉપસ્થિત રહેલ હતા.

(3:47 pm IST)