Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ

 સ્વ. ગોરધનભાઇ પ્રેમજીભાઇ કારેલીયા, સ્વ. તારાબેન ગોરધનભાઇ કારેલીયાનાં સ્મરણાર્થે બોમ્બે આર્યન વાળા- રાજકોટ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટનાં સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર તથા જિલ્લાને આંખનાં મોતિયા વિહિન કરવાનાં અશ્વમેઘ સંકલ્પ પૈકી ૨૩મો સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાયો હતો, જેમાં ૩૧૧ દર્દી ભગવાનોએ દિવ્ય ગુરૂદ્રષ્ટિ પ્રાપ્ત કરેલ હતી. આ નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનને રહેવા, જમવા, ચા-પાણી નાસ્તો, શુદ્ધ ઘીનો શીરો, દવા, ટીંપા, ચશ્મા તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવેલ હતા, તથા ઓપરેશન થયેલ દરેક દર્દી ભગવાનને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(3:45 pm IST)