Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

શિવસેના દ્વારા શોભાયાત્રાઓનું સ્વાગત

કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની જન્મ જયંતી નિમિતે રામનાથપરા ખાતેથી નિકળેલી બડાબજરંગ હનુમાનજીની ધર્મયાત્રાનું શિવસેના દ્વારા રામનાથપરા ગરબી ચોક ખાતે હાર-તોરા કરી હનુમાન ચાલીસા - સ્તુતી કરીને સ્વાગત કરાયુ હતું. એજ રીતે શ્રી વેલનાથજીની શોભાયાત્રા કિશાનપરા ચોકથી શરૂ થઇને શહેરના રાજમાર્ગો ફરી ત્યારે બહુમાળી ભવન ખાતે શિવસેના હોદેદારોએ આતશબાજી અને ઢોલના તાલે અભિવાદન કરીને શોભાયાત્રા તેમજ અગ્રણીઓનું સન્માન કરેલ. આ બંને આયોજનમાં શિવસેનાના જીમ્મીભાઇ અડવાણી, ચંદુભાઇ પાટડીયા, સંજયભાઇ ટાંક, જયપાલસિંહ જાડેજા, નિલેશ ચૌહાણ, રાજન દેસાણી, વિમલ નૈયા, કિશન સિધ્ધપુરા, વિક્રમભાઇ સોનારા, ધવલ વાળા, દર્શિલ મહેતા સહિતના હાજર રહ્યા હતાં.

(3:38 pm IST)