Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પરશુરામજીની શોભાયાત્રાનું ભાવભીનું સ્વાગત : જલ વિતરણ

રાજકોટ : ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ નિમિતે અખાત્રીજાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યોજવામાં આવેલ શોભાયાત્રાનું શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભીનું સ્વાગત કરાયુ હતુ. સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઇ રાજપુતની આગેવાની હેઠળ શોભાયાત્રાના મુખ્યરથને હારતોરા કરી વધાવવામાં આવેલ તે સમયે મ્યુ. વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, મિતુલભાઇ દોંગા, યુનુસભાઇ જુણેજા, ઘનશ્યામસિંહ જાડેજા, અતુલભાઇ રાજાણી, દિલીપભાઇ આસવાણી, પ્રભાતભાઇ ડાંગર, જગદીશભાઇ ડોડીયા, જગદીશભાઇ રબારી, ભાવેશભાઇ બોરીચા, દેવેન્દ્રસિંહ ગોહિલ, અનીશભાઇ કાચવાલા, રહીમભાઇ સાડેકી, હિરલબેન રાઠોડ, રાજુભાઇ જુંજા, હબીબ કટારીયા, રાજુભાઇ બદ્રકીયા, જીતુભાઇ ઠાકર વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રામાં જોડાયેલા બ્રહ્મસમાજના આગેવાનો અને સામેલ તમામ લોકો માટે કોંગ્રેસ સમિતિ દ્વારા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. (૧૬.૩)

(4:30 pm IST)