Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જનરલ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસનું બેનર યુદ્ધઃ કોંગ્રેસે કઠુઆકાંડ અને વાલ કૌભાંડના બેનરો દર્શાવ્યાં: ભાજપે વગર વરસાદે આજી ભરી દીધાના બેનરો પ્રદર્શિત કર્યા

રાજકોટઃ. મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલા જનરલ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બેનર યુદ્ધ સર્જાયુ હતું. તે વખતની તસ્વીરમાં કોંગ્રેસના ઘનશ્યામસિંહ જાડેજા, અતુલ રાજાણી, દિલીપ આસવાણી, ગાયત્રીબા વાઘેલા, વશરામભાઈ સાગઠીયા સહિતના કોર્પોરેટરોએ વાલ કૌભાંડ તથા કઠુઆકાંડના બેનરો પ્રદર્શિત કરી ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે સામી બાજુએ ભાજપના કોર્પોરેટરોએ પણ 'વગર વરસાદે આજીમાં લાવ્યા પાણી...વાહ રે વાહ વિજય રૂપાણી...' જેવા ભાજપ શાસનની સિદ્ધિઓ વર્ણવતા બેનરો પ્રદર્શિત કરેલ જેમાં જૈમીન ઠાકર, આશિષ વાગડીયા, અશ્વિન મોલીયા, નીતિનભાઈ ભારદ્વાજ વગેરે દર્શાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:23 pm IST)