Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

વૃક્ષારોપણ અને રસ્તા બાબતે શાસકો પર તડાપીટ બોલાવતા ગાયત્રીબા વાઘેલા

રાજકોટ :. આજે મળેલા જનરલ બોર્ડમાં પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ શહેરમાં રસ્તા અને વૃક્ષારોપણ બાબતે શાસક પક્ષ ભાજપ ઉપર તડાપીટ બોલાવી હતી. ગાયત્રીબાએ આ અંગેના પ્રશ્નની ચર્ચામાં ભાગ લેતા મેયર ડો. જૈમન ઉપાધ્યાયને સ્પષ્ટ જણાવ્યુ હતુ કે, તેઓએ રાજકોટના તમામ રસ્તાઓનો પ્રશ્ન તાકીદે ઉકેલવો જોઈએ. ઉપરાંત છેલ્લા એક વર્ષમાં થયેલ વૃક્ષારોપણમાં આ વૃક્ષોને ઉછેરવામાં તંત્રની જબરી બેદરકારી આ વર્ષે છતી થઈ છે ત્યારે હવે આવતા ચોમાસામાં આ પ્રકારની બેદરકારી થાય નહી અને જે વૃક્ષો રોપવામાં આવે તેનો ઉછેર પણ થાય તે જોવા માંગ ઉઠાવી હતી.(૨-૨૬)

(4:20 pm IST)