Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જનરલબોર્ડ પહેલા પ્રશ્નોના જવાબ આપોઃ વશરામભાઇ સાગઠીયા

રાજકોટઃ  દર બે મહિને મળતા જનરલ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસનાં કોર્પોરેટરો દ્વારા શહેરની વિવિધ સમસ્યા અને માહિતી માટે પ્રશ્રનો રજૂ કરવામાં આવતા હોય છે. આ પ્રશ્નોનાં જવાબો જનરલ બોર્ડ મીટીંગ પહેલા આપવા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યુ હતુ કે, જે કોર્પોરેટરો દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નનો જવાબ બોર્ડ પહેલા મળે તો સભ્યો દ્વારા અભ્યાસ કરી શકાય તેમ અંતમાં જણાવ્યુે હતુ.

 

(4:20 pm IST)