Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

૨૩મી માર્ચે શહિદ દિન નિમિતે સરદાર પટેલ સેના દ્વારા શનિવારે રકતદાન કેમ્પ

રાજકોટઃ આગામી ૨૩મી માર્ચના શહિદ દિન નિમિતે સરદાર પટેલ સેના- રાજકોટ દ્વારા તા.૨૧ને શનિવારે બાલક હનુમાન મંદિર, પેડક રોડ ખાતે સાંજના ૪:૩૦ થી રાત્રિના ૧૦ સુધી મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. રકતદાનના માધ્યમથી દરેક વ્યકિતમાં રાષ્ટ્રપ્રેમની જયોત જલાવી શહીદોને સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરવા અનુરોધ કરાયો છે.આયોજનને સફળ બનાવવા સરદાર પટેલ સેનાના હાર્દિક બોરડ, દુર્ગેશ લુણાગરિયા, પ્રદિપ લિંબાસીયા, ભાર્ગવ ઘેલાણી, સંદીપ રામાણી, દેવરાજ ગજેરા, વિવેક ભંડેરી, જીત લુણાગરિયા, ધર્મેશ ચોવટીયા, હિમાંશુ તોગડિયા, કેયુર સખીયા, જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો.૯૦૩૩૬ ૬૦૦૪૫ / ૯૩૭૭૭ ૫૧૦૮૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:23 pm IST)