Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

'સ્વર સે ઇશ્વર કી ઔર'

 પ-ગાયકવાડી ખાતે આવેલ સાધુવાસવાણી સંગીત કલા કેન્દ્ર દ્વારા તાજેતરમાં ભકિત સંગીતનો કાર્યક્રમ 'સ્વર સે ઇશ્વર કી ઔર' યોજવામાં આવ્યો હતો. જેમાં ધો.૧ થી ૭ ના બાળકોએ  ભજન, કીર્તન, સુફી કલામની ભાવનાત્મક પ્રસ્તુતી કરી હતી. સાધુ વાસવાણી ઇન્સ્ટીટયુટના ડાયરેકટર ડો. અંજુબેન નિચાણીએ ઉપસ્થિત રહી બાળકોની કલાને બીરદાવી હતી. ટ્રસ્ટી બી. બી. ગોગીયા અને મહેમાનોના હસ્તે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનીત કરાયા હતા. (૧૬.૬)

(3:43 pm IST)