Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

નાગરીક બેન્કની ૩૮ શાખા, બે ઓફ સાઈટ એટીએમ નેટવર્ક ધરાવે છે

હળવદ શાખાની પ્રારંભ

રાજકોટઃ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની હળવદ શાખાનો શુભારંભ થયો છે. આ પ્રસંગે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનાં પૂ.દિપકદાસજી, ડાયાભાઈ ડેલાવાળા (પૂર્વ વાઈસ ચેરમેન- પ્રભારી ડિરેકટર), શાખા વિકાસ સમિતિમાંથી વિજયભાઈ જાની (કન્વીનર), રાજેશભાઈ છનીયારા (સહકન્વીનર), ભરતભાઈ ગઢીયા, જશુભાઈ પટેલ, હેમાંગભાઈ ઢેબર (ડી.સી.એમ.), કિર્તીરાજસિંહ જાડેજા (મેનેજર), વિ.ઉપસ્થિત રહયા હતા.શાખાનાં પ્રભારી ડિરેકટર ડાયાભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, બેન્ક ૩૮ શાખા, ૨ એકસટેન્શન કાઉન્ટર અને ૨ ઓફ સાઈટ એટીએમ નેટવર્ક ધરાવે છે. આપણે આ આંકડા જાણી મોટું તંત્ર લાગશે પરંતુ આપણી બેન્કનાં કેન્દ્રમાં નાનો માણસ છે. હળવદ શાખાનો સંપર્ક : રાજકોટ નાગરિક સહાકારી બેન્ક લિ., ભાડીયા કુવા પાસે, સરકારી દવાખાના સામે, બસ સ્ટેશન પાસે, ધ્રાંગધાં રોડ, હળવદ- ૩૬૩ ૩૩૦, ફોન (૦૨૭૫૮) ૨૬૧૫૫૬- ૫૭

(4:48 pm IST)