Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

બુધવારે ઓશો સંબોધિ દિન

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે એક દિવસીય શિબિર

આજે દેશ વિદેશમાં ભગવાન રજનીશના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહાન વિચાર અને તત્વચિંતકના રૂપમાં અને ઓળખવામાં આવે છે. તે એ સદીના કદાચ સર્વાધિક ચર્ચાસ્પદ દાર્શનિક કહી શકાય. પોતાના મૌલિક ચિંતન તથા સદંતર નવીન દૃષ્ટિકોણ અને સાથોસાથ પોતાની નિર્ભીક સ્પષ્ટતાદિતાના કારણે એમનું વ્યકિતત્વ પ્રારંભથી જ વિવાદસ્પદ રહયું છે અને આ જ સાહસ કે દુઃસાહસ તેમનો અપાર લોકપ્રિયતા અને ઘોર વિરોધનું સમાન કારણ કહી શકાય તેમ છે.

આજે એક તરફ ભગવાન રજનીશના પ્રશંષકોમાં વિશ્વના કેટલાક લબ્ધ પ્રતિષ્ઠિત મનીષી, પ્રસિધ્ધ વૈજ્ઞાનિકી, ઉત્કૃષ્ટ કલાકાર તથા કેળવણીકારો છે. આ સિવાય પૃથ્વીના ખૂણે ખૂણામાં ફેલાયેલા એમના શ્રધ્ધાળુ શિષ્યોની સંખ્યા પણ લાખોમાં છે, પરંતુ બીજી તરફ એમના કટ્ટર વિરોધીઓ નિરંતર ઝેરોક્ષ સાથે મતભેદ કે અસહમતિની વાતો સમજી શકાય તેમ છે. પણ આશ્ચર્યને ખેદની વાત તો એ છે કે મોટા ભાગના લોકો ભગવાન રજનીશને સાંભળ્યા વિના, વાંચ્યા વિના અને સમજયા વગર એમના વિરોધીઓની ભીડમાં ઘેટાની જેમ ભળી જાય છ ે ને એમના પર નિરાધાર અને મન ગઢંત આરોપ લગાવવામાં પણ સંકોચ કરતો નથી. સાચી વાત તો એ છે કે ઓથી રજનીશ આધુનિક યુગમાં સૌથી વધારે વિવાદાસ્પદ જ નહિ, સાર્વધિક ખોટી રીતે સમજાય છે. (MOST MISUNDERSTOOD)વ્યકિત પણ છે.

સંસારમાં જે કોઇપણ વ્યકિતએ ધર્મ, વિજ્ઞાન, સાહિત્ય, કલા, સંસ્કૃતિ, સમાજ કે રાજનીતિ કોઇપણ ક્ષેત્રમાં પરંપરાના ચીલા ચાતરીને કહેવાનું કરવાનું કે ચાલવાનું સાહસ ઉઠાવ્યું છે કે ભીડમાં અલગ જઇને ઉભા રહેવાનું જોમમ ઉઠાવ્યું છે. એમના રૂઢીચુસ્ત સમાજ દ્વારા સદૈવ પ્રબળ વિરોધ, પ્રતિરોધ થયો છે એમને જાનથી મારી નાખવાના કુટીલ, કુત્સિત ષડયંત્રો રચાયા છે. કોઇને પથ્થરથી ગોળીથી મારી નાખવામાં આવ્યા છે. તો કોઇને દેશ-નિકાલ કરવામાં આવ્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે મહાન પુરૂષોના જીવનકાળમાં સમકાલીનો દ્વારા હંમેશા એમનો ઉપહાસ કરવામાં આવ્યો છે. અમેનું સાચુ મૂલ્યાંકન તો એમના મૃત્યુ પ્રશ્ચત જ શકય બને છે. આ જ વિશ્વના મહાન વિભૂતિઓનો નિયતિ રહી છે. અને ઓશો રજનીશ પણ આ ત્રાસમાંથી બચી નથી શકયા.

વાસ્તવમાં જો ધ્યાન પૂર્વક વિચારવામાં આવે તો ઓશો રજનીશ કોઇ એક વ્યકિતનું નામ નથી પુરતુ એ જીવનદૃષ્ટિ એક જીવન શૈલીનું નામ છે. રજનીશ વાસ્તવમાં એક વ્યકિત નહીં એક સંસ્થા છે. એક પ્રગતિશીલ આંદોલન એક ક્રાંતિકારી અભિયાન છે ધર્મ અને સમાજની અસ્તવ્યસ્ત સમસ્ત રૂઢિયોની વિરૂધ્ધ ખુલ્લો વિદ્રોહ છે. રજનીશનો અર્થ છે. માનવતાને જાગૃત કરવાનો મનુષ્યને રૂપાંતરીત કરવાનો એક અતૂટ સંકલ્પ રજનીશ દરેક પ્રકારના પાંખડ અને ગુલામીની મનોવૃત્તિને લલકારતા એક નિભીક પડકાર છે. રજનીશ પરંપરા ખંડિયરો ઉપર ખડી થયેલો નવા યુગનો સુત્રધાર છે. તે માનવતાનો મુકિતદાતા છે. મસીહા છે તે કોઇ ઉપરવાળાનું અવતરણ નથી કે નથી કોઇ પીર પયગંબર એ તો આ ધરતીમાંથી જ ઉદ્ભવેલુ મનુષ્ય ચેતનાના ઉર્ધ્વીકરણ સર્વોત્તમ શિખર છે.

આજે ધર્મનું રૂપ ઘણું વિકૃત થઇ ચુકયું છે શાસ્ત્રોકંત વિધિવિધાન અને આચાર સંહિતાઓને જે ધર્મનું લક્ષણ માની લેવામાં આવ્યુ છે. ધર્મ આજે સંપ્રદાયની સંકીર્ણ સીમામાં સંકોરાઇ ગયો છે. એક અનંત પારાવાર હવે ગંધાતા સડેલા પડતર પાણીનું ખાબોચીયું બની ગયો છે. આજે કેવળ કર્મકાંડ અને બાહ્મચારથી જ ધર્મની ઓળખાણ છે, વ્રત-ઉપવાસ રાખવા, બ્રાહ્મણોને મોટા દાન દક્ષિણા દઇ યજ્ઞ-અનુષ્ઠાનનો કરાવવા, ધર્મગ્રંથોના અખંડ પાઠ તથા કિર્તન મંડળીઓને ભાડેથી બોલાવી વિશાળ જાગરણોના આ બધુ આજકાલ મનુષ્યને ધર્માત્મા બનાવવાનો અધિકાર આપે છે. આખો દિવસ ચોર બજારી કરવાવાળો, ગરીબોનું લોહી ચુસવાવાળો સાંજે મંદિરે જઇ ભકિતનો ઢોંગ રચશે. આજે ધર્મના નામ પર હુલ્લડો થાય છે નૃશંષ હત્યાઓ થાય છે.  એક બીજાના ધર્મસ્થાનોનો નાશ કરવામાં આવે છે. આગ લગાવવામાં આવે છે. પંડિત હોય કે મૌલવી, પાદરી હોય ગ્રંથી, બધાયે ભેગા મળીને ઇશ્વરને વહેંચી લીધો છે, સૌએ પોતપોતાની હાટડી નાખી દીધી છે. દરેક પેઢી પોતાના ગ્રાહકોની ભીડ ભેગી કરવામાં  લાગી ગઇ છે. ધર્મ આજે એક વ્યવસાય, એક શો, એક લીલામ, એક પ્રદર્શન બની ગયો છે.

ઓશો રજનીશ એવા ધર્મનું સમર્થન નથી કરતા કે જીવન વિરોધી હોય, સમાજ પ્રત્યે જવાબદારી છોડી મનુષ્ય પલાયનવાદી બની જાય તે એમને મંજૂર નથી. સાચો ધર્મ જીવન અને જગતનો નિષેધ નથી કરતો, જીવન પરમાત્માનું વરદાન છે. અદ્ભુત ઉપહાર છે. તેઓ કહે છે.

'જીવનને સમગ્રતાથી પુરી પ્રમાણિકતા અને તીવ્રતાથી જીવો, જીવનનો ભરપુર આનંદ લો. જીવન અને જગતમાં જે કંઇ સત્ય, શિવ અને સુંદર છે તેનું સ્વાગત કરો, આસ્વાદન લો. જીવનને પ્રેમ કરતા શીખો કારણ કે પ્રેમ જ પરમાત્મા સુધી પહોંચવાનું દ્વાર છે.'

ઓશો રજનીશ થોથી નૈતિકતાને માત્ર દંભ માને છે, એમનું જીવન દર્શન ભૌતિકતાથી આધ્યાત્મિકતા તરફ, શરીરથી આત્મા તરફ અને સ્થૂળથી સૂક્ષ્મ  તરફની યાત્રા છે. તેઓ સંયમના વિરોધી નથી, પરંતુ તે સંયમ ઉપરથી બળપૂર્વક લદાયેલો ન હોવો જોઇએ.

સંયમ સ્વતઃ સહજ હોય તો જ વરૈણ્ય છે. ધર્મ શાસ્ત્રો દ્વારા ઉપરથી લાદેલો સંયમ ઘણો ખતરનાક હોય છે. મનોવૈજ્ઞાનિક કહે છે, કામ, ક્રોધ, ધૃણા, હિંસા આદિ લાગણીઓને જેટલી દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તેમનામાં એટલી જ ઉંડી ઉતરતી જવાની છે. આ પરિસ્થિતિમાં બહારથી શાંત અને સંત દેખાતો માનવી ભીતર ધૃણા ક્રોધ અને કામવાસનામાં સળંગી રહ્યો હોય છે. એટલે ઇન્દ્રીયાદમનથી લાભ નહી હાની વધુ થવાની છે. ઓશોની વ્યાખ્યા મુજબ ધર્મ એ જીવન અને જગતથી પલાયનનો માર્ગ નથી પણ ધર્મનો અનુષ્યને પરિવર્તન અને રૂપાંતરણનો માર્ગ પ્રશસ્ત કરે છે. ધર્મ સંસારને દુઃખનું ઘર કે જીવનને નર્કનું દ્વાર માનીને એનો ત્યાગ કરવાનું કહેતો નથી. કારણ કે જો મન નહી બદલાય તો માણસ દૂર જંગલમાં કે પહાડમાં  પણ જાય તો ત્યાં સન્યાસી નહીં પણ સંસારી જ રહેવાનો છે, કેવળ વસ્ત્ર બદલવાથી વ્યકિત નથી બદલાતો. ધર્મ વાસ્તવમાં મનુષ્યને રૂપાંતરીત કરવાની કળા છે. સમ્યપ જીવન જીવવાની કળા છે.

સંબોધી દિવસ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર ૧ દિવસીય ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે સમય સવારે ૬ થી રાત્રીના ૮ાા. (૯.૧પ)

સ્વામી સત્ય પ્રકાશના

પ્રેમ પૂર્ણ પ્રણામ

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

(5:20 pm IST)