Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

BAPS સ્વામીનારાયણ મંદિરે યોજાયુ અભૂતપૂર્વ વિરાટ મહિલા સંમેલન

રાજકોટ : પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ ૯૮માં જન્મજયંતિ મહોત્સવ ઉપક્રમે કાલાવડ રોડ સ્થિત બીએપીએસ સ્વામીનારાણ મંદિર દ્વારા મહિલાઓના વિકાસ અને સંવર્ધન માટે વિવિધ પ્રવૃતિઓ દ્વારા મહિલાશકિતકરણ અને સ્વવિકાસનું અદ્કેરૂ કાર્ય ચાલી રહ્યુ છે. આ અંતર્ગત ''વિરાટ મહિલા સંમેલન''નું આયોજન કાલાવડ રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરે કરવામાં આવ્યુ હતું. આ મહિલા સંમેલનની શરૂઆત શ્રીમતી અંજલીબેન રૂપાણી, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. વિરાટ મહિલા સંમેલનમાં સેવા તેમજ સમર્પણના સંદેશ સાથે સ્ત્રીઓના વ્યકિતગત તેમજ સામાજીક જીવનને ઉર્ધ્વગામી કઈ રીતે બનાવી શકાય તેનું માર્ગદર્શન સંવાદો, નૃત્યો, ડીબેટ તેમજ વિડીયો દ્વારા કરવામાં આવ્યુ હતું. આ વિરાટ મહિલા સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, ખોડલધામના ટ્રસ્ટી શ્રીમતી શર્મીલાબેન બાંભણીયા, ડો.બબીતાબેન કૃપાણી તથા ટીકારાની સાહેબ શિવાભીકા દેવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:18 pm IST)