Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

આર્ટ ઓફ લીવી­ગ દ્વારા વૈદિક ચૈત્ર નવરાત્રી યજ્ઞ મહોત્સવ

સ્વામી સર્નુજી તથા શીવાચાર્યોના સાનિધ્યમાં રવિવારે યજ્ઞ યોજાશે

રાજકોટ, તા.૧૯ : આર્ટ ઓફ લીવીંગ પરીવાર દ્વારા ભારતીય સંસ્કૃતિ અને વૈદીક પરંપરાને ઉજાગર કરતો પ્રાચીન 'ચૈત્ર નવરાત્રી યજ્ઞ મહોત્સવ'નું આયોજન લાભુભાઈ ત્રિવેદી, મેમોરીયલ હોલ, રેડ ક્રોષ બિલ્ડીંગ, કુંડલીયા કોલેજ પાસે, શાસ્ત્રી મેદાન સામે તા.૨૩ થી ૨૫ના રોજ વિવિધ યજ્ઞો અને પુજા કરવામાં આવશે.

બેંગ્લોરથી સ્વામીજી સર્નુજી પધારશે જેમનું આર્ટ ઓફ લીવીંગમાં સીનીયર અને વિશેષ સ્થાન છે. એક સાથે બેંગ્લોર આશ્રમ, જડોદરા આશ્રમ, ભુવનેશ્વર આશ્રમ, ગુવાહાટી આશ્રમ ખાતે યજ્ઞો થશે.

આ વૈદીક ચૈત્ર નવરાત્રી યજ્ઞ મહોત્સવમાં સ્વામીજીની સાથે દક્ષીણ ભારતના અર્વાચીન મંદિરના શીવાચાયોસ્ તેમજ વેદાચાર્યોની હાજરીમાં ત્રણ  દિવસ વિવિધ પુજા, હોમ અને હવન દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવશે. વધુ માહિતી માટે (મો.૯૮૭૯૧ ૨૪૭૭૪) ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(4:15 pm IST)