Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

બુટલેગર ભાવેશ અને મારામારીની ટેવ ધરાવતો પ્રફુલ ઉર્ફ ઘોઘી પાસામાં

આજીડેમ પોલીસ અને યુનિવર્સિટી પોલીસે બજવણી કરીઃ અમદાવાદ જેલહવાલે

રાજકોટ તા. ૧૯: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુ બે શખ્સને પાસા તળે જુદી-જુદી જેલમાં ધકેલી દીધા છે. જેમાં એક બુટલેગર છે અને બીજો મારામારીના ગુના આચરવાની ટેવ ધરાવે છે.

આજીડેમ ચોકડી નજીક માંડા ડુંગર પાસે નકલંક પાર્ક-૧માં રહેતો ભાવેશ દેહાભાઇ દાઢી (ઉ.૨૫) અવાર-નવાર અંગ્રેજી દારૂના ગુનામાં પકડાયો હોઇ તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત થઇ હતી. આ ઉપરાંત રૈયાધાર મફતીયાપરા રાણીમા રૂડીમા ચોક ઇન્દિરાનગર-૧૩માં રહેતો પ્રફુલ ઉર્ફ ઘોઘી વજુભાઇ ચોરવાડીયા (ઉ.૨૩) મારામારીના ગુના આચરવાની ટેવ ધરાવતો હોઇ તેને પણ પાસામાં ધકેલવાની દરખાસ્ત થઇ હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બંને દરખાસ્ત મંજુર કરી ભાવેશ-પ્રફુલ બંનેને અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો.

વોરન્ટ ઇશ્યુ થતાં એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં આજીડેમ પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ સી. એસ. પટેલ, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, ભરતસિંહ પરમાર, કુલદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને સ્મીત વૈશ્નાણીએ બજવણી કરી હતી.

જ્યારે પ્રફુલના વોરન્ટની બજવણી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.એસ. ઠાકર, ઇ. પો. ઇન્સ. બી. એમ. જાડેજા, પીએસઆઇ એમ. બી. રબારી, બી. જી. ડાંગર, હેડકોન્સ. હરપાલસિંહ, રાજેશભાઇ, લક્ષમણભાઇ, ગિરીરાજસિંહ, જયંતિગીરી, મુકેશભાઇ, મહિપાલસિંહ, દિપકભાઇ, રવિભાઇ, પીસીબીના રાજુભાઇ દહેકવાડ, અજયભાઇ શુકલા, શૈલેષભાઇ રાવલ, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરી સહિતે  કરી હતી.

(1:12 pm IST)