Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પૂ. પ્રમુખ સ્વામીજીની ૯૮મી જન્મજયંતી પ્રસંગે વોર્ડ નં.૩માં વિકાસ કાર્યો થયાઃ ગાયત્રીબા

રાજકોટ : આજે કોર્પોરેશનના બજેટને બહાલી આપવા માટે મળેલી જનરલ બોર્ડમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે કોંગી કોર્પોરેટરોના વોર્ડમાં થયેલા વિકાસ કામોનાં આંકડાઓ રજૂ કરી સમતોલ વિકાસ અને રાજકીય કિન્નાખોરી વગર વિકાસ કાર્યો કર્યાનું જણાવેલ જેના જવાબમાં ગાયત્રીબા વાઘેલાએ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે વોર્ડ નં. ૩ માં રોડ-રસ્તાનાં વિકાસ કામો થયા તે પૂ. પ્રમુખ સ્વામીની ૯૮મી જન્મ જયંતીનાં કાર્યક્રમને આભારી છે. કેમ કે વોર્ડ નં. ૩ ની ભૂમિ ઉપર આ પવિત્ર ઉત્સવ થયો અને તંત્રએ તાબડતોબ આ વિસ્તારમાં રોડ-રસ્તા પાણી, ડ્રેનેજનાં કામો કર્યા તેથી પૂ. મહંત સ્વામી અને સ્વામીનારાયણ સંપ્રદાય પ્રત્યે ગાયત્રીબાએ આ તકે આભારની લાગણી વ્યકત કરી હતી. (પ-૩૯)

(4:18 pm IST)