Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

અમારી બહેનને છ મહિનાથી હેરાન કરતો'તો એટલે મારવો પડ્યોઃ કબૂલાત

મુસ્લિમ યુવાનનું અપહરણ કરી હત્યા કરનારા જયસુખ, દિપક અને અજયની પ્ર.નગર પોલીસે કરી વિસ્તૃત પુછતાછ

રાજકોટ તા. ૧૯:  થોરાળા-૧માં રહેતાં તોૈસિફ સલીમભાઇ ઓડીયા (ઉ.૨૩)નું સિવિલ હોસ્પિટલમાંથી ૧૨મીએ અપહરણ કરી કાળીપાટ લઇ જઇ બેફામ માર મારવામાં આવ્યો હતો. આ યુવાનનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. પ્ર.નગર પોલીસે આરોપીઓ જયસુખ પુનાભાઇ રાઠોડ (ઉ.૩૧-રહે. આંબેડકરનગર, ૮૦ ફુટ રોડ) તથા દિપક ઉર્ફ દિપો ઉર્ફ વિપુલ પુનાભાઇ રાઠોડ (ઉ.૨૨-રહે. આંબેડકરનગર) તથા જયસુખના મિત્ર અજય કરસનભાઇ વાઘેલા (ઉ.૨૩-રહે. ગંજીવાડા)ને પકડી લીધા છે. જયસુખ અને દિપકે કબુલ્યું હતું કે અમારી બહેન શારદા સિવિલ હોસ્પિટલમાં નોકરીએ આવતી હોઇ તેની પાછળ તોૈસિફ છ મહિનાથી પડી ગયો હતો અને હેરાન કરતો હતો. બહેન ના પાડતી હોવા છતાં મળવા આવતો હોઇ તેને મારવો પડ્યો હતો.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ટંડેલની સુચના હેઠળ પી.આઇ. એમ. બી. કાતરીયા, પીએસઆઇ એમ. જે. રાઠોડ, એએસઆઇ સંજયભાઇ દવે, હેડકોન્સ. દેવશીભાઇ રબારી, મહેન્દ્રભાઇ પરમાર, કલ્પેશસિંહ ગોહિલ, મોહસીનખાન મલેક, અરવિંદભાઇ મકવાણા, અશોકભાઇ કલાલ, પ્રદિપસિંહ, જયદિપભાઇ, હેમેન્દ્રભાઇ, મનજીભાઇ, શકિતસિંહ, વિરભદ્રસિંહ સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે.

(4:02 pm IST)