Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

બાપાસિતારામ ચોક મવડી ખાતે શહીદ વીરજવાનોને શ્રધ્ધાંજલી અર્પવા લોકડાયરો

રાજકોટ, તા.૧૯:- જમ્મુ કશ્મીરના પુલવામાં થયેલા આંતકવાદી હુમલામાં શહીદ થયેલ વિર જવાનોને પુષ્પાંજલી-શ્રધ્ધાંજલી શબ્દાંજલી રૂપે દેશભકિતના ગીતોથી અર્પવા આજે રાત્રે મવડી બાપાસીતારામ ચોક ખાતે ડાયરો રાખેલ છે. જેમાં કલાકાર રાજભા ગઢવી (ગીર)શ્રી અનુભા ગઢવી(રાણો આવ) તેમજ મિરાબેન આહિર, પ્રવિણભાઇ આહિર દ્વારા શહીદવિરોને શ્રધ્ધાંસુમને અર્પતા ગીતો રજૂ થશે. આ સેવા કાર્યનું દિપ પ્રાગટય આર્મીમાં નિવૃત થયેલ વિર જવાનોના હસ્તે કરવામાં આવશે. બાપાસિતારામ ચોક મવડી ચોકડીથી આગળ આજે રાત્રે ૮ કલાકે યોજાનાર લોકડાયરામાં જાહેર જનતાને આ શ્રધ્ધાસુમન કાર્યમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.(૨૨.૧૪)

(3:56 pm IST)