Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

બેભાન હાલતમાં મનિષભાઇ કોળી અને વૃધ્ધ અનિલભાઇનું મોત

રાજકોટ તા. ૧૯: કાલાવડ રોડ પુષ્કરધામ પાસે કેવલમ્ પાસે ગુ.હા.બોર્ડ કવાર્ટરમાં રહેતાં મનિષભાઇ રામસીંગભાઇ ઝીંઝુવાડીયા (ઉ.૪૨) નામના કોળી યુવાન સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

મનિષભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર છે. તેઓ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં ૮૦ ફુટ રોડ પર સત્યમ્ પાર્ક-૩માં સુંદરમ્ પ્લાઝા ખાતે રહેતાં અનિલકુમાર શ્રીપ્રસાદ નારાયણ (ઉ.૬૭) ઘરે બિમારી સબબ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. થોરાળાના એએસઆઇ જે. કે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:34 am IST)