Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સ્વાઇન ફલૂથી સિવિલ હોસ્પિટલમાં પોરબંદરના પ્રોૈઢનું મોતઃ મૃત્યુઆંક ૪૪

રાજકોટ તા. ૧૯: સ્વાઇન ફલૂએ ભોગ લેવાનું યથાવત રાખ્યું છે. સિવિલ હોસ્પિટલમાં સાંજે પોરબંદરના ૫૪ વર્ષના પ્રોૈઢનું મોત નિપજ્યું છે. તે સાથે મૃત્યુઆંક ૪૪ થયો છે.

જાણવા મળ્યા મુજબ ૫૪ વર્ષના પ્રોૈઢને કેટલાક દિવસ પહેલા સ્વાઇન ફલૂની શંકાએ દાખલ કરાયા હતાં. જેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ગત સાંજે તેમણે દમ તોડી દીધો છે. આ દર્દીને અગાઉ ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્યાંથી ગઇકાલે સવારે જ સિવિલમાં ખસેડાયા હતાં અને સાંજે દમ તોડી દીધો હતો.

આજે સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કુલ ૫૫ દર્દી સારવાર હેઠળ છે. જેમાં સિવિલમાં કુલ ૧૯ દર્દી છે. જે પૈકી ૧૫ના રિપોર્ટ પોઝિટીવ છે અને ચારના રિપોર્ટ આવવાના બાકી છે. (૧૪.૭)

 

(11:32 am IST)