Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ૪ના મોત

આર્યનગરના રેખાબેન, પરમેશ્વર પાર્કનો દશરથ, અમરનાથ પાર્કના રફિકભાઇ અને ગોકુલધામના હરેશભાઇએ દમ તોડ્યો

રાજકોટ તા. ૧૯: બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા અલગ-અલગ ચાર લોકોએ દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

રણછોડનગર આર્યનગર-૮માં રહેતાં રેખાબેન રજનીકાંત રાણપરા (ઉ.વ.૫૧) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બી-ડિવીઝનના હેડકોન્સ. અશ્વિનભાઇ રાઠોડે જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં બાબરીયા કોલોની ત્રણ માળીયા પાસે પરમેશ્વર પાર્ક-૨માં રહેતાં દશરથ રામુભાઇ મુંજપરા (ઉ.વ.૧૭)ને  બિમારી હોઇ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ  ભકિતનગર પોલીસને જાણ કરતાં હેડકોન્સ. ડી. વી. પરમારે કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં જામનગર રોડ અમરનાથ પાર્કમાં રહેતાં રફિકભાઇ દાઉદભાઇ કુરેશી (ઉ.વ.૫૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ચોથા બનાવમાં ગોકુલધામ આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં હરેશભાઇ નારણભાઇ શિયાળ (ઉ.વ.૩૭) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક હરેશભાઇ છુટક મજૂરી કરતો હતો. સંતાનમાં બે દિકરી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:12 pm IST)