Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

નવાથોરાળા ગોકુલપરામાં પતિના ત્રાસથી પૂજાએ ફિનાઇલ પી લીધીઃ પતિ સામે ગુનો

રાજકોટ તા. ૧૯:નવા થોરાળા ગોકુલપરા-૨માં રહેતી પૂજાબેન વિપુલ પરમાર (ઉ.૨૮) નામની અનુસુચિત જાતીની પરિણીતાને પતિ વિપુલ અરજણભાઇ પરમાર ત્રાસ આપતો હોઇ કંટાળીને ફિનાઇલની ટીકડી પી લેતાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. થોરાળા પીએસઆઇ કે. કે. પરમારે આ મામલે પૂજાબેનની ફરિયાદ પરથી તેના પતિ સામે મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

પૂજાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન આઠ વર્ષ પહેલા જ્ઞાતિના રિવાજ મુજબ વિપુલ સાથે થયા છે અને સંતાનમાં ચાર વર્ષની પુત્રી છે. અગાઉ પાંચેક વર્ષ પહેલા પતિએ ઝઘડા કરી ત્રાસ આપતાં પોતે ચાર-પાંચ વખત માવતરે જતી રહી હતી. પણ બાદમાં પતિ તેડી ગયો હતો. ૧૮/૧/૧૯ના બપોરે પોતે ઘરે હતી તયારે પતિ ફરીથી મેણાટોણા મારવા માંડતા અને ઝઘડો કરી હેરાન કરતાં પોતે આવેશમાં આવી ફિનાઇલની ગોળી પી ગઇ હતી. સાસુએ સારવાર માટે ખસેડી હતી. વધુ તપાસ હેડકોન્સ. જ્યોત્સનાબેને હાથ ધરી છે.

(3:50 pm IST)