Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

આહરી રેજીમેન્ટની માંગણી અર્થે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી સાથે બેઠક

રાજકોટ,તા.૧૯: ભારતીય સેનામાં રાષ્ટ્રની સુરક્ષા કાજે અન્ય સમાજની સાથે સાથે યાદવ/ આહીર સમાજનું મોટું બલિદાન હોવા છતાં ભારતીય સેનામાં અત્યાર સુધી આહીર રેજીમેન્ટનું ગઠન કરવામાં આવ્યું ન હોય ભારતના અંદાજીત ૨૬ કરોડ જેટલા યાદ સમાજ દ્વારા આહીર રેજિમેન્ટની માંગ ઉઠાવવામાં આવી છે.

આ માંગને લઈને ગુજરાતમાં તેમજ સમગ્ર ભારતમાં સિગ્નેચર અભિયાન ચલાવી રહ્યું છે. રેજિમેન્ટની માંગને લઈને ભારતીય યાદવ મહાસભાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બાબુભાઈ હુંબલ અને પ્રદેશ મહામંત્રી  બાબુભાઈ ડાંગર દિલ્હી ખાતે કેન્દ્રિય રાજયમંત્રી તેમજ ભારતીય યાદવ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાવ ઈંદ્રજી સિંહજી સાથે બેઠક યોજાઈ હતી અને આવેદનપત્ર સાથે સિગ્નેચર અભિયાનની બુક આપી હતી. સરકારમાં યોગ્ય રજૂઆત કરવાની ઉગ્ર માંગ કરી હતી.(૩૦.૭)

 

(3:46 pm IST)