Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

વોર્ડ નં.૭માં રામનાથપરા સ્મશાનમાં રીનોવેશન

રાજકોટઃ  શહેરના વોર્ડ નં. ૭ માં રામનાથપરા સ્મશાનમાં રીનોવેશન કરાવવાના કામનો પ્રારંભ શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, વોર્ડના પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, દંડક અજય પરમાર, કોર્પોરેટર મનીષ રાડીયા, મીનાબેન પારેખ, કિરીટ ગોહેલ, રમેશભાઈ પંડયા, ગુણુભાઈ ડેલાવાળાની ઉપસ્થિતિમાં અને વોર્ડના કોર્પોરેટર કશ્યપ શુકલ, અજય પરમાર, મીનાબેન પારેખ અને હીરલબેન મહેતાની ગ્રાન્ટમાંથી કરવામાં આવેલ.

આ તકે સંદીપ ડોડીયા, પુનીતાબેન પારેખ, વનીતાબેન દક્ષીણી, સુરેશ સીંધવ,  ચદ્રેશ પરમાર, પપ્પુ ચૌહાણ,જયોત્સનાબેન, કોમલબેન કારીયા, જુમાનાબેન, જયોતિબેન, ધર્મેશ દક્ષિણી  સહિતના ઉપસ્થિત રહયા હતા.

(3:39 pm IST)