Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

અખિલ મચ્છુ કઠીયા સઈ સુતાર (દરજી) સમાજ દ્વારા સત્કાર સમારંભ : ફોટોગ્રાફર સ્વ.મનહરભાઈ ટંકારીયાને જ્ઞાતિરત્ન એવોર્ડ

રાજકોટ : શ્રી અખિલ મચ્છુ કઠીયા સઈ સુતાર (દરજી) સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ - રાજકોટ દ્વારા હેમુ ગઢવી હોલ - રાજકોટ ખાતે ૧૨મો સરસ્વતી સત્કાર સમારંભ યોજવામાં આવેલ હતો. જેમાં પ્રેસ ફોટોગ્રાફર સ્વ.મનહરભાઈ ટંકારીયાને મરણોત્તર જ્ઞાતિરત્ન આપીને તેમના પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ વિશિષ્ટ સન્માન આપી શ્રીમતી વનીતાબેન રાઠોડને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો.ભરતભાઈ રામાનુજ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)એ પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યક્રમનું એન્કરીંગ ગીરધરભાઈ જોષી, નિલેશભાઈ પીઠડીયા તથા વનીતાબેન રાઠોડએ કરેલ હતું.

ઉલ્લેખનીય છે કે આ ટ્રસ્ટ દ્વારા શિક્ષણને લગતી તમામ પ્રવૃતિઓ જેમ કે જ્ઞાતિના ૭૦૦ થી ૭૫૦ વિદ્યાર્થીઓને છેલ્લા ૧૨ વર્ષથી ફુલ સાઈઝ નોટબુકનું વિતરણ કરવામાં આવે છે. તેમજ ધો.૧૦ અને ૧૨ અને કોલેજના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે.

(3:37 pm IST)