Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

જાગનાથ પરીવાર એસોસીએશનના હરેશભાઇ ભીંડી ઓસ્‍ટ્રેલીયા જતા હોય અપાયુ વિદાયમાન

જાગનાથ પરીવાર એસોસીએશનના સ્‍થાપક અને ચીફ મેન્‍ટર હરેશભાઇ ભીંડી પોતાના ધર્મપત્‍ની જયશ્રીબેન સાથે ઓસ્‍ટ્રેલીયા જતા હોય પરીવારના સભ્‍યો દ્વારા ગઇકાલે તેમને હાર્દિક વિદાય આપવાનો એક સમારોહ યોજવામાં આવ્‍યો હતો. જેમાં પરીવારના ભાઇ-બહેનો ઉપસ્‍થિત રહયા હતા અને ભીંડી દંપતીનું હાર્દિક અભિવાદન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે આ વિસ્‍તારના અગ્રણી અને સીટી ન્‍યુઝ ચેનલના તંત્રી નીતીનભાઇ નથવાણી, લાલ બહાદુર હાઇસ્‍કુલના પુર્વ પ્રિન્‍સીપાલ ગૌતમભાઇ પારેખ દ્વારા ઉદબોધન કરવામાં આવ્‍યું હતુ અને તેમને પ્રવાસની શુભેચ્‍છા પાઠવી હતી. પરીવારના અન્‍ય સભ્‍ય રમેશભાઇ વસા, પ્રફુલભાઇ સુચક અને અશોકભાઇ ગાંધીએ પણ મોમેન્‍ટ આપી તેઓનું અભિવાદન કર્યુ હતું. આ પ્રસંગે અગ્રણી ઉદ્યોગપતિ અને ચેમ્‍બર ઓફ કોમર્સના પુર્વ હોદેદાર પ્રણયભાઇ શાહ, સામાજીક અગ્રણી ભગીરથસિંહ જાડેજા (બાપુ) પણ ખાસ ઉપસ્‍થિત રહયા હતા. જાગનાથ વિસ્‍તારમાં રહેતા પરીવારોને એક તાંતણે બાંધવાનું અને દરેક તહેવાર સાથે મળીને ઉજવાય તે માટે હરેશભાઇ ભીંડીએ ભગીરથ કાર્ય કર્યુ છે. સહકાર ભર્યુ વલણ અને હસમુખો સ્‍વભાવ ધરાવતા હરેશભાઇ પોતાના પુત્ર અને પુત્રીને મળવા ઓસ્‍ટ્રેલીયા જઇ રહયા છે તેઓ લાંબો સમય ત્‍યાં રોકાણ કરવાના હોય તેમને વિદાયમાન અપાયું હતું.

(3:15 pm IST)