Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ભાજપના ઠાકર, પાઠક અને ડાભી પરમીટ માટેના એજન્ટો

સિવિલના દેકારા અને દારૂની પરમીટ પ્રકરણે કોંગી આગેવાનોનો ભાજપ પર વળતો પ્રહાર : ભાજપના આક્ષેપો પાયાવિહોણા : સાબીત કરે તો જાહેર જીવન છોડી દઇશ : સાગઠીયા : કાલની જનરલ બોર્ડમાં ભાજપને ભીંસ પડતા મુદ્દો 'ડાયર્વટ' માટેના હવાતીયાઃ કાલરીયા : ભાજપ અને મ્યુનિ. કમિશનર સાચા આંકડા જાહેર કરવામાં 'ગેંગેફેફે' : રાજાણી-આસવાણી

રાજકોટ,તા.૧૮:  મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દંડક અતુલભાઈ રાજાણી, કોર્પોરેટર દિલીપભાઈ આસવાણીની સંયુકત  યાદી જણાવે છે કે આજરોજ ભાજપ દ્વારા જે વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ઉપર દારૂની પરમીટનાં અંગત આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે અને ભાજપને અમારી ખુલ્લી ચેલેન્જ છે ક વશરામભાઈ સાગઠીયાના મોબાઈલમાંથી સિવિલ સુપ્રિટેન્ડન્ટને કોઈપણ પ્રકારની ભલામણનો જો કોઈ મેસેજ કર્યો હોય તો હું મારું જાહેર જીવન છોડવા તૈયાર છું . રોગચાળા બાબતે થાકી ગયેલ અને ગેગેફેફે કરનાર અને ખોટા આંકડા જાહેર કરનાર ભાજપના શાસકો જો પોતાના જ અધિકારીઓ ઉપર કંટ્રોલ ના હોય અને પોતાના જ અધિકારીઓ તેમને ખોટી માહિતી આપતા હોય અથવા પોતે જ પોતાના પાપ છુપાવવા માટે ખોટા આંકડા પ્રેસમાં આપતા હોય તેવું દેખાઈ રહ્યું છે અમારી કોંગ્રેસના કોર્પોરેટરોની ભાજપના તમામ મિત્રોને ખુલ્લી ચેલેન્જ છે કે તેઓેએ આપેલ રોગચાળાના આંકડાઓ બાબતની જો જાહેર ચર્ચા કરવી હોય તો ત્રિકોણબાગ ખાતે જાહેર મંચમાં તમારા સમયે અને તારીખે રોગચાળા બાબતે જાહેરમાં ચર્ચા કરવા અમારી ખુલ્લી ચેલેન્જ છે, રોગચાળાને નાથી ન શકનાર સરકારના અધિકારી અને  પદાધિકારીઓ પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે તેના પ્રતિનિધિ રૂપે સ્ટેન્ડીંગના ચેરમેન ઉદય કાનગડ પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે જે સ્ટેન્ડીંગના ચેરમેન જે વોર્ડમાંથી ચુંટાયેલ છે તે વોર્ડના મતદારો ને મળતા પણ નથી અને પોતાના ફોન પણ ઉપાડતા નથી તેવા કોર્પોરેટરને પ્રજાની પરેશાનીની કોઈ જાણકારી ના હોય તેવા પ્રજાના પ્રતિનિધિ પાસે ખોટા આક્ષેપો કરવા સિવાઈ હવે કાઈ બચ્યું નથી.

શ્રી સાગઠીયાએ જણાવેલ કે, સ્ટેન્ડીંગના ચેરમેનને જણાવવાનું કે પહેલા પોતાનું ઘર સંભાળો અને કેમ કે,  ભાજપના હોદ્દેદારો અને સભ્યોના નામ અમે  જાહેર કરીએ છીએ જેમાં (૧) રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કાર્યાલય મંત્રી અને રોગી કલ્યાણ સમિતિના સભ્ય જયંત ઠાકર કે જે પોતે સિવિલ હોસ્પીટલમાં કોન્ટ્રાકટરને દબાવી પોતાના મળતિયાને નોકરી અપાવે છે અને પરમીટ કાઢવાની દલાલી કરે છે (૨) ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના પીએ પાઠકભાઈ ના ભાઈ પાઠક એ પોતે પણ ભાજપના હોદ્દેદાર હોય તે પણ પરમીટ કઢાવવાની દલાલી કરે છે (૩) તેવા જ ભરત  ડાભી કે જે યુવા ભાજપના મહામંત્રી છે તે પણ પરમીટ કઢાવવાની એજન્ટની કામગીરી કરે છે વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા અને પૂર્વ કોર્પોરેટર કાન્તીભાઈ દ્યેટીયા પોતાની હેલ્થ પરમીટ ના મંજુર થતા સરકાર માંથી દબાણ લાવી સિવિલ સુપ્રિટેન્ડન્ટ પાસે ના મંજુર થયેલ પરમીટ મંજુર કરાવેલ છે. આથી પણ વધારે ભાજપને જો વધારે માહિતી જોઈતી હોય તો કોંગ્રસને ભાજપ  સમયે અને સ્થળે જાહેરમાં જાહેર ચર્ચા કરવા તૈયારછે તેવી ચેલેન્જ શ્રી સાગઠીયાએ આપી  છે.

કોંગ્રેસના કોર્પોરેટર રસીલાબેન ગરૈયાનો જયારે આગામી જનરલ બોર્ડમાં બીજો પ્રશ્ન હોય અને તે જાહેર હિત, આરોગ્ય લક્ષી અને રોગચાળા વકરી રહ્યા હોય તે બાબતે હોય અને ખોટા આંકડા જાહેર કરવાના હોય અને ભાજપના અને તંત્રના  ભોપાળા છતાં થવાનાં હોય તેનાથી ભાજપ અને કમિશ્નરને ખુલ્લા પડી જવાની બીક લાગતી હોય અને પોતાની કામગીરી ન કર્યા નો પર્દાફાશ થવાની બી કે ભાજપે યેનકેન પ્રકારે પોતાનો બચાવ કરવા જનરલ બોર્ડમાં પ્રથમ પ્રશ્ન વાહિયાત પ્રશ્ન પૂર્ણ કરવાની રણનીતી અપનાવવાને બદલે  કોંગ્રેસના બીજા લોક પ્રશ્ન બાબતે ચર્ચા કરવી જોઇએઙ્ગ

(3:51 pm IST)